ગ્રામ પંચાયત દ્વારા પોલીસ તથા મામલતદારશ્રી લેખિતમાં રજૂઆત કરી આરોપીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી….
વાંકાનેર તાલુકાના રાજાઓલા ગામની સીમમાં આવેલ વર્ષો જુના ગોદીવીડી તળાવ વાંકાનેર પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે સંપૂર્ણ ભરાઇ ગયુ હોય, ત્યારે કોઇ હરામખોરો દ્વારા સરકારી સંપત્તિને નુકસાન કરતા આ તળાવની પાળને જેસીબી મશીનથી તોડી ગયા હોવાનો બનવ સામે આવ્યો છે, જેથી આ બાબતે રાજાવડલા ગ્રામ પંચાયત દ્વારા વાંકાનેર સીટી પોલીસ તથા મામલતદારશ્રી લેખિતમાં રજૂઆત કરી સરકારી સંપત્તિને નુકસાન કરનારાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે…..
બાબતે ગ્રાણ પંચાયત દ્વારા ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, વાંકાનેરના રાજાવડલા ગામે આવેલ ગોદીવીડી તળાવ ચોમાસામાં પાણીની આવકથી સંપૂર્ણ ભરાઈ જતા આજુબાજુમાં આવેલ આશરે 250 વીઘા જેટલી જમીનમાં ખેડૂતોના બોર-કુવા રિચાર્જ થવા તથા પશુપાલકોને પાણીની જરૂરીયાત સંતોષાતી હોય, ત્યારે જ ગઇકાલે આજ ગામના કોઇ અજાણ્યા ઇસમો દ્વારા તળાવની પાકી આર.સી.સી પાળીને જેસીબી મશીનથી તોડી નુકસાન કરી તળાવના પાણીનો વ્યય કરવામાં આવ્યો છે, જેથી આ સરકારી સંપત્તિને નુકસાન કરનાર તત્વો સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg