વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામ ખાતે રહેતા અને દુકાન ચલાવતા એક યુવાનને કોઈ કારણસર દુકાન પાસે વીજશોક લાગવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણોસરી કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામ ખાતે રહેતા અશ્વિનભાઈ લાલજીભાઈ માલકીયા (ઉ.વ. 26) નામનો યુવાન ગામમાં આવેલ તેની દુકાન પાસે હોય, ત્યારે કોઈ કારણોસર તેને વીજ શોક લાગતા તાત્કાલિક સારવાર અર્થે ચોટીલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કરતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg