Friday, July 24, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના મેસરિયા-અદેપર રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ....

    વાંકાનેર તાલુકાના મેસરિયા-અદેપર રોડ પરનું ડાયવર્ઝન ધોવાતા રસ્તો બંધ….

    વાહનચાલકોએ સમઢિયાળા-સતાપર માર્ગનો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવો…

    મોરબી જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદી માહોલ વચ્ચે વાંકાનેરના મેસરિયાથી અદેપર તરફ જતા રોડ પર બનાવવામાં આવેલું ડાયવર્ઝન ધોવાઈ જવાથી, કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત ન સર્જાય તે અર્થે સ્થાનિક નાગરિકોની સલામતી અને સુરક્ષાને પ્રાધાન્ય આપતા આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે…

    વાહનચાલકો તથા સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા સમઢિયાળા – સતાપર વાળા રોડને વૈકલ્પિક માર્ગ તરીકે ઉપયોગમાં લેવા માટે જણાવવામાં આવ્યું છે.
    આ તકે વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, ધોવાયેલા બંધ રસ્તા પર જવાનું સાહસ ન કરવા અને તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા વૈકલ્પિક માર્ગનો જ ઉપયોગ કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!