Tuesday, July 8, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના રંગપર ગામે વાડીએ સુતેલા યુવાનને સાપ કરડી જતાં ઝેરી અસરથી યુવાનનું...

    વાંકાનેરના રંગપર ગામે વાડીએ સુતેલા યુવાનને સાપ કરડી જતાં ઝેરી અસરથી યુવાનનું મોત….

    વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાન વાડીએ સૂતો હોય ત્યારે અચાનક તેને સાપે દંશ દેતાં યુવાનને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની યુવાન માવજીભાઈ માનસિંગ કતીજા (ઉ.વ. ૨૩) ગઈકાલ બપોરે વાડીમાં સુતો હોય, ત્યારે તેને સાપ કરડી જતા ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!