વાંકાનેર તાલુકાના લુણસરીયા રેલ્વે સ્ટેશન નજીક ગઇકાલે બાર વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતી ટ્રેન હેઠળ પડતું મુકી 22 વર્ષિય યુવાને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસરિયા રેલ્વે સ્ટેશન નજીક ગઇકાલે બાર વાગ્યાની આસપાસ કરણ રાજેશભાઈ કોળી (રહે. દિગ્વિજયનગર, પેડક, વાંકાનેર) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર અહીંથી પસાર થતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન નં. 15054 હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે નોંધ કરી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65