Wednesday, July 22, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર ખાતે આગામી ૨૪ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન : ખાનગી ક્ષેત્રે...

    વાંકાનેર ખાતે આગામી ૨૪ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન : ખાનગી ક્ષેત્રે રોજગારીની તક…

    મોરબી જિલ્લાના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીની ઉત્કૃષ્ટ તકો પૂરી પાડવાના હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા. ૨૪/૦૭/૨૦૨૬ રોજ સવારે ૧૧:૦૦ કલાકે વાંકાનેર આીટીઆી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને લાયકાત ધરાવતા ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી પ્રક્રિયા હાથ ધરશે. ખાનગી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છતા રસ ધરાવતા તમામ ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટસ સાથે નિયત સ્થળ અને સમયે ઉપસ્થિત રહેવાનું રહેશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!