
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે આવેલ સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધેશ્વર મહાદેવના પાવન સાનિધ્યમાં સિદ્ધેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા પર્યાવરણ જતન અર્થે વૃક્ષારોપણ તેમજ ઉમદા યોગદાન આપનાર દાતાઓના સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી, જેમાં સંજયભાઈ પીપળીયા (પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયત), શૈલેષભાઇ ઠક્કર (સદસ્ય, ગુજરાત વ્યાપાર સેલ),

ચતુરભાઈ મકવાણા (મહામંત્રી, મોરબી જિલ્લા ભાજપ), ભરતભાઈ દેગામા (પ્રમુખ, વાંકાનેર તાલુકા ભાજપ), વાઘજીભાઈ ડાંગરોચા (સદસ્ય, જિલ્લા પંચાયત), હરૂભા ઝાલા (પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત), ક્રિપાલસિંહ ઝાલા (પૂર્વ મહામંત્રી, શહેર ભાજપ), ભરતભાઈ ડાભી (સદસ્ય, રાજકોટ તાલુકા પંચાયત) સહિતના ઉપસ્થિત રહ્યા હતાં….

કાર્યક્રમ દરમિયાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા પધારેલા તમામ રાજકીય આગેવાનો, સદસ્યશ્રીઓ, કાર્યક્રમમાં આર્થિક તથા નૈતિક સહયોગ આપનાર દાતાઓ તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓનું ફૂલહાર અને શાલ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણીનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો…




