નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા ફ્રિ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે, બહોળી સંખ્યામાં નાગરિકોને લાભ લેવા અનુરોધ….

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આગામી રવિવારના રોજ રાજકોટની નામાંકિત એચ.સી.જી. હોસ્પિટલ દ્વારા સર્વરોગ મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરનો ટીમ દ્વારા વિનામૂલ્યે તપાસ તથા સારવાર કરવામાં આવશે….

આ વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પમાં મગજ તથા કરોડરજ્જુના તમામ રોગોના નિષ્ણાંત ન્યુરોસર્જન ડો. પાર્થ લાલચેતા તથા કાન, નાક, ગળાના તમામ રોગોના નિષ્ણાંત ડો. પાર્થ હિંગોલ તથા ઘુંટણ તથા થાપાના સાંધાના તમામ રોગોના નિષ્ણાંત ડો. દિશીત વઘાસીયા તથા ડાયાબિટીસ, થાઇરોઇડ અને હોર્મોન્સના રોગોના નિષ્ણાંત ડો. તપન પારેખ દ્વારા નિદાન તથા સારવાર કરવામાં આવશે….

• વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પ •
તારીખ : 10/03/2024, રવિવાર
સમય : સવારે 10:30 થી બપોરે 1:30 સુધી
સત્યમ હોસ્પિટલ
ઝવેરી હાઉસ, મણીકર્ણી મંદિરની સામે, એસબીઆઈ બેંકની સામે, માર્કેટ ચોક, વાંકાનેર
મો. 63588 88817
મો. 94083 75285



