ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લાભાર્થીઓના આવાસનું લોકાર્પણ કરાયું….
વાંકાનેર શહેરના ટાઉનહોલ ખાતે આજરોજ વિકસિત ભારત, વિકસિત ગુજરાત અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર ગુજરાતના 182 વિધાનસભા મતવિસ્તારોમાં યોજના હેઠળ નિર્માણ પામેલા આવાસોનું વર્ચ્યુઅલ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં વિવિધ યોજના હેઠળ નિર્માણ પામેલા કુલ 331 આવાસોનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું…..
વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હરૂભા ઝાલા, કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેર, હિતેશભાઈ ચૌધરી, સંજયભાઈ રંગાણી, હિરાભાઈ ટમારીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, જેઠાભાઈ મિયાત્રા, હિરેનભાઈ પારેખ, ટીડીઓ આર. એમ. કોંઢીયા, મામલતદાર યુ. વી. કાનાણી સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા…
આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં વાંકાનેર શહેર તથા તાલુકાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD