વાંકાનેર શહેર નજીક પંચાસર બાયપાસ રોડ પર આવેલ ભંગારના ડેલામાં આજરોજ રવિવારે બપોરના સમયે અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી, જેમાં જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવની તાત્કાલિક જાણ ફાયર બ્રિગેડની ટીમને કરાતાં મોરબી અને વાંકાનેરથી બે ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હોવાની માહિતી મળી રહી છે…..
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પંચાસર બાયપાસ રોડ પર આવેલા ડાયાલાલ નામનાં વેપારીના ભંગારના ડેલામાં આજરોજ રવિવારે બપોરના સમયે અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી, જેમાં થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવની તાત્કાલિક જાણ ફાયર બ્રિગેડની ટીમોને કરાતાં મોરબી અને વાંકાનેરથી બે ફાયરબ્રિગેડની ટીમો સ્થળ પર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, હાલ આ આગની ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનીની ઘટના સામે આવી નથી પરંતુ આગના કારણે ભંગારના ડેલામાં નુકસાની પહોંચી હોવાની માહિતી મળી રહી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm