વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં રહી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક વૃદ્ધ બિમારી સબબ વહેલી સવારે બેભાન થઈ ગયા હોય, જે બાદ તેમને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવતા ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યો હતા. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં આવેલ દેવ પેકેજીંગ નામના કારખાનામાં કામ કરતા મૂળ બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના વતની વાસુદેવભાઈ શિવધરભાઈ રામ (ઉ.વ. 68) નામના વૃદ્ધ કોઈ બીમારી સબબ બેભાન બની ગયા બાદ સારવાર માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તપાસી તેને મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65