Thursday, July 10, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ : 19 પૈકી આઠ સરપંચ...

    વાંકાનેર તાલુકાની ગ્રામ પંચાયતોનું ચુંટણી ચિત્ર સ્પષ્ટ : 19 પૈકી આઠ સરપંચ બિનહરીફ, 135 વોર્ડમાં 55 બિનહરીફ અને 28માં કોઈએ ફોર્મ જ ન ભર્યા….

    વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં તાલુકામાં કુલ 19 સરપંચો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય, જે પૈકી 08 ગામોમાં સરપંચ પદ માટે એકમાત્ર ઉમેદવાર બાકી રહેતા તેમને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે…

    આ સાથે જ વાંકાનેર તાલુકામાં કુલ 135 ગ્રામ પંચાયતના સભ્યોની ખાલી પડેલ બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હોય, જે પૈકી 55 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે, જ્યારે 28 બેઠકો પર કોઇએ પણ ઉમેદવારીપત્ર ન ભરતા આ બેઠકો ખાલી રહેશે, જેથી બાકી રહેતી 52 સભ્યોની બેઠકો અને 11 સરપંચ માટે આગામી તા. 22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી હાથ ધરવામાં આવશે….

    આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વાંકાનેર તાલુકામાં કુલ 19 ગ્રામ પંચાયતો પૈકી ૧). ભાયાતી જાંબુડીયા, ૨).ગારીયા, ૩). ધરમનગર, ૪). પલાસડી, ૫). ચંદ્રપુર, ૬). રાજાવડલા, ૭). જાલી અને ૮). અમરસર ગ્રામ પંચાયતોમાં સરપંચ પદના ઉમેદવારોને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે….

    જેથી હવે વાંકાનેર તાલુકાની ૧). ભેરડા, ૨). ચાંચડીયા-કાશીપર, ૩). સિંધાવદર-વિડી ભોજપરા, ૪).પંચાસીયા, ૫). ભાટીયા સોસાયટી, ૬). પીપળીયા રાજ, ૭). સતાપર, ૮). હસનપર, ૯). શેખરડી, ૧૦). ખીજડીયા-પીપરડી અને ૧૧). પાજ ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે ચૂંટણી યોજાશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!