વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા, મુસ્લિમ સમાજ દ્વારા ભારે હૈયે રહેબરને વિદાય અપાઇ…
વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મોમીન – મુસ્લિમ સમાજના ધર્મગુરૂ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું ગઇકાલ શનિવારે નિધન થયું છે, ત્યારે આજે રવિવારે તેમની દફનવિધિ કરવામાં આવી હતી, જેમાં વાંકાનેર સહિત સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો તેમના જનાઝામાં જોડાઇ ભારે હૈયે તેમને વિદાય આપી હતી….
સવારે ૧૦ વાગ્યે તેમના જનાઝાને મીરૂમીયા બાવા દરગાહ ખાતેથી મોમીનશાહ બાવા દરગાહ (ચંદ્રપુર) ખાતે લઇ જઇ, ત્યાં જનાઝાની નમાઝ અદા કરવામાં આવી હતી, જે બાદ બપોરે પરત મીરૂમીયા બાવા દરગાહ (લક્ષ્મીપરા) ખાતે પહોંચી તેમની દફનવિધિ કરવામાં આવી હતી. વાંકાનેરના લોકોના હૈયામાં વસતાં અને હજારો અનુયાયીઓના રહેબર મીર સાહેબના નિધનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઇ ગઇ છે….
• તા. 11/03/2024, સોમવાર કાર્યક્રમ •
👉🏻 મુસ્લિમ સમુદાય માટે ઝિયારત અને નિયાઝ રાખવામાં આવેલ છે, જેમાં બપોરે 2:30 થી 4 વાગ્યા સુધી મીરૂમીયા બાવા દરગાહ ખાતે કુરાન ખ્વાની તથા બપોરે 4 થી મગરીબ સુધી મોલવી સાહેબ(ર.અ.)ની વાડીએ ઝિયારત આમ ન્યાઝ રાખવામાં આવેલ છે..
• તા. 12/3/2024 મંગળવાર કાર્યક્રમ •
👉🏻 સર્વ સમાજ માટે સાંજે 4 થી 6 સુધી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરગાહ શરીફ ખાતે રાખવામાં આવેલ છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp