વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતી એક 16 વર્ષીય સગીરા પોતાના ઘરે પથારીમાં સુતી હોય ત્યારે તેને કોઈ ઝેરી જનાવર કરડી જતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે રહેતી દિપાલીબેન રમેશભાઈ ચાવડા (ઉ.વ. ૧૬) નામની સગીરા પોતાના ઘરે પથારીમાં સુતી હોય, ત્યારે કોઇ ઝેરી જનાવર કરડી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી સગીરાને મૃત જાહેર કરી હતી, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg