Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જાલીડા ગામ નજીક થારમાં આવેલ ચાર અજાણ્યા શખ્સોએ રસ્તામાં કાર ચાલક...

    વાંકાનેરના જાલીડા ગામ નજીક થારમાં આવેલ ચાર અજાણ્યા શખ્સોએ રસ્તામાં કાર ચાલક પર હુમલો કરી વગર કારણે હાથ-પગ ભાંગી નાખ્યા…!

    વાંકાનેર તાલુકાના જાલીડા ગામ નજીકથી પસાર થતા એક કાર ચાલકની કારને રસ્તામાં રોકાવી એક કાળા કલરની થાર ગાડીમાં આવેલ ચાર શખ્સોએ લોખંડના પાઇપ વડે કાર ચાલક પર હુમલો કરી, કારમાં નુકસાની કરી, બેફામ માર મારી હાથ-પગ ભાંગી ફરાર થઈ ગયા હતા. જેથી આ મામલે ફરિયાદીએ ચાર અજાણ્યા ઇસમો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલીડા ગામ ખાતે રહેતા ફરિયાદી વિશાલભાઈ ઉર્ફે મુનાભાઈ માણસુરભાઈ લોહ (ઉ.વ. ૩૮) પોતાની ક્રેટા કારમાં રાજકોટથી કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે રાત્રીના સમયે જાલીડા ગામ નજીક રામદેવપીર મંદિર પાસે રસ્તામાં પાછળથી એક કાળા કલરની થાર કારએ તેમની ગાડીની સાઇડ‌ કાપી આગળ જઇ રસ્તામાં આડી ગાડી ઉભી રાખી ફરિયાદીની કારને રોકાવી થારમાંથી ચાર અજાણ્યા શખ્સો લોખંડના પાઇપ સાથે ઉતરી ફરિયાદીની કારના કાચ તોડી ફરિયાદીને બહાર કાઢી કંઇ પણ બોલ્યા વગર ફરિયાદીને બેફામ માર મારી હાથ-પગ ભાંગી ફરાર થઈ ગયા હતા, જેથી આ રહસ્યમય મારામારીના બનાવમાં પોલીસે ચાર અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી બનાવમાં ઉંડી તપાસ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!