Tuesday, February 11, 2025
More
    Homeમુખ્ય સમાચારખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર તાલુકા સહકારી પરિવાર દ્વારા...

    ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વાંકાનેર તાલુકા સહકારી પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો….

    વાંકાનેર તાલુકા સહકારી પરિવાર દ્વારા પીર મશાયખ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો, 111 બોટલ રક્ત એકત્ર….

    સૌરાષ્ટ્રના ખેડૂત નેતા વિઠ્ઠલભાઇ રાદડીયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ વાંકાનેર તાલુકા સહકારી પરિવાર દ્વારા પીર મશાયખ હોસ્પિટલ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર વિસ્તારમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા અને આ કેમ્પમાં કુલ 111 બોટલ રક્ત એકત્ર થયું હતું…..

    આ રક્તદાન કેમ્પમાં વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા, પીર મશાયખ હોસ્પિટલના ચીફ ડિરેક્ટર શાઇરએહમદ પીરઝાદા, આરડીસી બેંક પ્રતિનિધિઓ સહિત બહોળી સંખ્યામાં વાંકાનેર તાલુકાના સહકારી આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/BzBEAnMDttU3jN1wz2iIBp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!