વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના વતની અને ઔદ્યોગિક ક્ષેત્રે જાણીતી પેઢી મિલન રિફ્રેકટરીના ઓનર અબ્દુલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. આજે તેઓ જીવનના એક વધુ સફળ વર્ષને પૂર્ણ કરી નવા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે ચોમેરથી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે….

અબ્દુલભાઈ માથકીયા રિફ્રેકટરી ઇન્ડસ્ટ્રીઝમાં ૩૦ વર્ષથી પણ વધુ સમયનો બહોળો અનુભવ ધરાવે છે. પોતાની અથાગ મહેનત, કુશળ વેપારી સૂઝબૂઝ અને ગુણવત્તાસભર કામગીરીના બળે તેમણે મિલન રિફ્રેકટરીને આ ક્ષેત્રમાં એક આગવી અને વિશ્વસનીય ઓળખ અપાવી છે. રિફ્રેકટરી ઉદ્યોગમાં તેમની ગણના એક પ્રતિષ્ઠિત અને અનુભવી અગ્રણી તરીકે થાય છે. સરળ, સહૃદયી અને મિલનસાર સ્વભાવ ધરાવતા અબ્દુલભાઈ વ્યવસાયની સાથે-સાથે સામાજિક સંબંધો જાળવવામાં પણ મોખરે રહે છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના પરિવારજનો, સ્નેહીજનો, મિત્રવર્તુળ તેમજ સિરામિક અને રિફ્રેકટરી ઉદ્યોગ જગતના વેપારી મિત્રો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે….






