વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના શ્રમિક દંપતીનો ઝઘડો છેક મધ્યપ્રદેશ પોલીસ મથકે પહોંચ્યા બાદ પતિએ પત્ની અન્ય કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરતી હોય શંકા રાખી માર મારવાના બનાવમાં જીરો નંબરથી પોલીસ ફરિયાદ નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સંસ્કાર ટાઇલ્સ ફેક્ટરીમાં કામ કરતા અને અહીં જ લેબર કવાટર્સમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની નિરુબેન રાજેશભાઇ અમલિયારને તેના પતિ રાજેશભાઈ મકનાભાઈ અમલિયારે ગત તા.14 એપ્રિલના રોજ ફરિયાદી કોઈ અન્ય સાથે વાત કરતી હોવાની શંકા રાખી ગાળો આપી લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે જીરો નંબરથી ફરિયાદ નોંધી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1