Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારજન્માષ્ટમી મેળા માટે વાંકાનેર નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ. 18 લાખમાં વેચાયું....

    જન્માષ્ટમી મેળા માટે વાંકાનેર નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ. 18 લાખમાં વેચાયું….

    આ વખતે ગ્રાઉન્ડ માટે સાત દાવેદારો વચ્ચે ફક્ત ત્રણ બોલીમાં ગ્રાઉન્ડ વેચાયું : પ્રથમ 3.25, બીજી 3.50 બાદ સીધી 18 લાખની બોલીમાં ગ્રાઉન્ડ વેચાયું…..

    વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે નૌમ-દશમ મેળાના મેદાનની આજે વાંકાનેર નગરપાલિકા કચેરી ખાતે જાહેરમાં હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ સાત પાર્ટીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને બોલી બોલવામાં આવી હતી, જેમાં લોકમેળા માટેનું મેદાન ફક્ત ત્રણ બોલી બાદ રૂ. 18 લાખની બોલી સાથે જય ગોપાલ ટ્રેડિંગના ફાળે આવ્યું હતું….

    આજે નગરપાલિકા કચેરી ખાતે બપોરે 12 વાગ્યે ચીફ ઓફિસર ગીરીશ સરૈયા તથા વહીવટદાર અને મામલતદાર યુ. વી. કાનાણીની અધ્યક્ષતામાં યોજાયેલ જાહેર હરાજીમાં કુલ સાત પાર્ટીઓએ બોલી લગાવી હતી, જેમાં 3.10 લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા ગ્રાઉન્ડ માટે પ્રથમ બોલી ગ્લોબલ ડેવલપમેન્ટ દ્વારા 3.25 લાખ, બીજી બોલી અમરનાથ ટ્રેડર્સ દ્વારા 3.50 લાખ અને‌ ત્રીજી બોલી જય ગોપાલ ટ્રેડિંગ દ્વારા 18 લાખ લગાવી હતી, જેમાં ત્રણ રાઉન્ડ સુધી કોઇએ બોલી ન લગાવતા મેળા માટેનું મેદાન નગરપાલિકા દ્વારા જય ગોપાલ ટ્રેડિંગને આપવામાં આવ્યું છે….

    અત્રે ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડ માટે આગામી દિવસોમાં જો બોલી લગાવનાર દાવેદાર દ્વારા નગરપાલિકામાં બોલીની રકમ જમા કરાવવામાં નહીં આવે તો, તેને રદ કરી તેનાથી નીચે બોલી લગાવનારને આ ગ્રાઉન્ડ આપવામાં આવશે તેમ હરાજી કરનાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!