વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં નોકરી કરતા ખખાણા ગામના યુવાનને કારખાનામાં ફ્યુઝ બદલતી વેળાએ અચાનક વિજશોક લાગતાં તેનું કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખખાણા ગામ ખાતે રહેતા વનરાજભાઈ ખોડાભાઈ વનાણી (ઉ.વ. ૨૮) નામનો યુવાન ઢુવા નજીક આવેલ સ્કોવેટ સિરામિક કારખાનામાં કામ કરતો હોય ત્યારે ફ્યુઝ બદલતી વેળાએ અચાનક તેને વિજશોક લાગતાં તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm