વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા(ક્રેસ્ટોન) સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગત તા. ૦૯ ના રોજ ગેસ સિલિન્ડરમાં નળી લિકેજ થતાં આગ લાગવાની ઘટના બની હોય, જેમાં કુલ પાંચ જેટલા મજુરોને ઈજાઓ પહોંચી હતી, જેમાંથી ગંભીર રીતે ઇજાગ્રસ્તો એક શ્રમિક યુવાનનું રાજકોટ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હોવાનો ખુલાસો થયો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ ક્રેવિટા(ક્રેસ્ટોન) સિરામીક નામનાં કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગત તા. ૦૯ ના રોજ સવારે રાંધણગેસ લિકેજથી રૂમમાં આગ લાગી હતી, જેમાં આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.વ. ૨૦), રિતેશ ધર્મેન્દ્ર કુશવાહ(ઉ.વ. ૨૨), રાહુલ સુમ્મત બંજારા (ઉ.વ. ૧૯), વિકાસ પ્રેમકુમાર બંજારા (ઉ.વ. ૨૨), લક્ષ્મણ વિષ્ણુ કહાર ગંભીર રીતે દાજી જતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા,
જેમાં આ બનાવમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલ આશિષ પ્રેમલાલ બંજારા (ઉ.વ. ૨૦, રહે. હાલ ક્રેવિટા સિરામીક, મુળ રહે. મધ્યપ્રદેશ)નું ગઇકાલ બપોરે સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp