Sunday, February 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના ધમલપર ગામે પત્નીએ ઘેનની ટીકડા પિવાની ના પાડતા લાગી આવતા ‌યુવાને...

    વાંકાનેરના ધમલપર ગામે પત્નીએ ઘેનની ટીકડા પિવાની ના પાડતા લાગી આવતા ‌યુવાને એસિડ પી મોત વ્હાલું કર્યું…

    વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે રહેતો એક યુવાન અવારનવાર ઘેનના ટીકડા પી લેતો હોય, જેથી તેની પત્નીને ઘેનની ગોળી નહીં લેવાનું કહેતા, આ બાબતે લાગી આવતા યુવાને જાતે એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં તેનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતે રહેતા વિજયભાઇ દાનજીભાઇ માણસુરીયા (ઉ.વ. ૩૫) નામનો યુવાન અવાર-નવાર વધુ પડતાં નિંદરના ટીકડા પિતો હોય, જેથી તેમના પત્ની સુમિત્રાબેને ઘેનની ગોળીઓ નહીં લેવા કહેતા આ બાબતનું વિજયભાઇને લાગી આવતા ગત તા. ૨૭ના રોજ પોતે જાતે એસિડ ગટગટાવી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ગઇકાલે સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!