વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં વાડી ધરાવતા રાજકોટના વતની એક આધેડને મોઢામાં ચાંદા પડતાં હોય જેથી પોતાની આ બિમારીથી કંટાળી તેમણે પોતાની વાડીએ પ્રથમ ઝેરી દવા ગટગટાવી લીધાં બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોટડા નાયણી ગામની સીમમાં વાડી ધરાવતા અને રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે રહેતા સુરેશભાઈ મોહનભાઇ લીંબાસીયા (ઉ.વ. 53) નામના આધેડને મોઢામાં ચાંદા મટતાં ન હોય, જેનાથી કંટાળી જઇ તેમણે પોતાની કોટડા નાયાણી ગામે આવેલ વાડીએ જઈ ઝેરી દવા ગટગટાવી લીધાં બાદ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અક્સમાતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp