Sunday, February 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના જોધપર ગામે રાત્રે સુતા બાદ વૃદ્ધ ઉઠ્યા જ નહીં, હાર્ટએટેકથી...

    વાંકાનેર તાલુકાના જોધપર ગામે રાત્રે સુતા બાદ વૃદ્ધ ઉઠ્યા જ નહીં, હાર્ટએટેકથી મોત….

    વાંકાનેર તાલુકાના જોધપર ગામની સીમમાં આવેલ વાડીએ રાત્રીના ખાટલામાં સુતા બાદ સવારે નહીં ઉઠતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વૃદ્ધનું હાર્ટએટેકથી મોત થયું હોવાનું સામે આવ્યું હતું….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામ ખાતે રહેતા કાંતિભાઈ કેશુભાઈ સોલંકી (ઉ.વ. 55) પોતાની વાડીએ ખાટલામાં સુતા બાદ સવારે કઈ બોલતા ચાલતા ન હોય બેભાન બની જતા સારવાર માટે વૃદ્ધને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના તબીબે હાર્ટ એટેકથી તેમનું મોત થયું હોવાનું જણાવતા આ બનાવની વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!