Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના જળેશ્વર મંદિર નજીક ડુંગરાળ વિસ્તારમાં બાવળની ડાળી સાથે દોરી બાંધી આધેડનો...

    વાંકાનેરના જળેશ્વર મંદિર નજીક ડુંગરાળ વિસ્તારમાં બાવળની ડાળી સાથે દોરી બાંધી આધેડનો આપઘાત….

    વાંકાનેર તાલુકાના જડેશ્વર મંદિર નજીક ડુંગરાળ વીડી વિસ્તારમાં પોતાના એક્ટીવા પર જઇ એક આધેડએ માનસિક બિમારીથી કંટાળી ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામ ખાતે રહેતા રાજેશભાઈ હંસરાજભાઈ ધુમલીયા નામના આધેડ પોતાનું એકટીવા લઈ વાંકાનેરના જડેશ્વર મંદિર પાસે ડુંગરાળ વીડી વિસ્તારમાં જઇ પોતાની માનસિક બિમારીથી કંટાળી ત્યાં બાવળની ડાળી સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની મૃતકના દીકરા જગદીશભાઈ રાજેશભાઈ ધુમલીયાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!