વાંકાનેર શહેરથી ૧૨ કિલોમીટરના અંતરે આવેલી રતન ટેકરી પર બિરાજમાન સ્વયંભૂ પ્રગટ જડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ નિમિત્તે સૌરાષ્ટ્રનો પ્રથમ લોક મેળો યોજાય છે. ત્યારે આજરોજ સૌરાષ્ટ્રના પ્રથમ શ્રાવણી લોકમેળાને જનપ્રતિનિધિઓના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી તંત્ર દ્વારા મેળામાં ફજત-ફાળકાઓને SOP નિયમ પાલન બાબતે મંજૂરી આપવામાં આવી ન હોવાની માહિતી મળી રહી છે. હાલ મંજૂરી પ્રક્રિયા પ્રગતિમાં હોવાનું આયોજક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે.
આ લોકમેળામાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી જનમેદની ઉમટી પડે છે, અહીં આસપાસનું વાતાવરણ અને વનરાજી લોકોના મન અને હૃદયને પ્રફુલ્લિત કરવા માટે પુરતી છે. સૌરાષ્ટ્ર ગુજરાત સહિત લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા રતન ટેકરી પર કુદરતી વાતાવરણમાં જંગલમાં બિરાજમાન સ્વંયભુ જડેશ્વર મહાદેવના લોકમેળાને પરંપરાગત રીતે આજરોજ રવિવારે ખુલ્લો મુકવામાં આવ્યો છે….
આ ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે મંદિરના મહંત રતીલાલજી મહારાજ, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી, યુવા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, ડીવાયએસપી સમીર સારડા, પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, મામલતદાર ઉત્તમ કાનાણી, કિશોરસિંહ ઝાલા સહિતના ઉપસ્થિત રહ્યા હતા….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS