૧૮૦ વિદ્યાર્થીઓ અને ૨૦થી વધુ સરકારી કર્મચારીઓને સન્માનિત કરાયા : શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય….

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામે આવેલ સંતશ્રી વેલનાથબાપુની પવિત્ર જગ્યામાં વાંકાનેર તાલુકાના સમસ્ત ચુંવાળીયા ઠાકોર સમાજના પ્રથમ વિદ્યાર્થી સન્માન સમારોહનું શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા…

આ કાર્યક્રમમાં ચુંવાળીયા ઠાકોર સમાજના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૧૮૦ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સમાજનું ગૌરવ વધારનાર ૨૦થી વધારે સરકારી કર્મચારીઓનું પણ મંચ પરથી વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું…

આ સમારોહનો મુખ્ય હેતુઓ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારી લોકોમાં શિક્ષણ પ્રત્યે વધુ જાગૃતતા લાવવા, યુવા પેઢીને શિક્ષણ તરફ વાળવા, સમાજમાંથી ખોટા વ્યસનો તથા દૂષણો કાયમી ધોરણે દૂર કરવા સહિતના રહ્યા હતા. આ તકે સમાજના વિવિધ અગ્રણીઓ, રાજકીય અને સામાજિક આગેવાનો, સન્માનિત થનાર વિદ્યાર્થીઓના માતા-પિતા તેમજ બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના લોકોએ હાજરી આપી હતી. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક ટીમે ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






