Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે ઝડપાયેલ બંને આરોપીઓના જામીન મંજુર....

    વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે ઝડપાયેલ બંને આરોપીઓના જામીન મંજુર….

    વાંકાનેરના બહુચર્ચીત બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોય, જે બંનેના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થયા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હોય, જે બંને આરોપીઓએ પોતાના વકીલ મારફતે વાંકાનેર કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરતા નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે પોલીસ દ્વારા રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજયસિંહ જયુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી હોય, જે બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરાયા હતા, જે બાદ બંને આરોપીઓએ પોતાના વકીલ મયુરસિંહ પરમાર મારફતે વાંકાનેર કોર્ટમાં જામીન અરજી કરતા તેમની ધારદાર દલીલો, સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓને રજૂ કરતાં તેને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા બંને આરોપીઓને શરતોને આધીન જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી વતી વકીલ તરીકે વાંકાનેર બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ મયુરસિંહ એસ. પરમાર, ભગીરથસિંહ જાડેજા, વિજય બાંભવા, યોગીરાજસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા સહિતના રોકાયા હતા….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!