Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારસ્વતંત્રતા પર્વ નિમિત્તે ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે યોજાયેલ નિદાન કેમ્પનો 250...

    સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે યોજાયેલ નિદાન કેમ્પનો 250 જેટલાં દર્દીઓએ લાભ લીધો….

    સ્વતંત્રતા પર્વ નિમિત્તે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં 170 બોટલ રક્ત એકત્રિત….

    વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે આજરોજ સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ બાદ દરગાહ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો….

    સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનો 250 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જ્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 170 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ તકે હઝરત પીર સૈયદ મોહમ્મદ ફાઝીલશાહ બાવાના હસ્તે તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી….

    આ કેમ્પમાં લાભ‌ લેનાર તમામ દર્દીઓને આગળની સારવાર સત્યમ્ હોસ્પિટલ દ્વારા રાહતદરે કરી આપવામાં આવશે, જ્યારે ગાયનેક વિભાગમાં માં હોસ્પિટલ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને સોનોગ્રાફી ફ્રીમાં કરી આપવામાં આવશે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/JyqRJEKktzd8X1dCYrSywS

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!