હ. બાલાપીર (રહે.) મોમીન બૈતુલમાલ ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા સંચાલિત પીર મશાયખ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે તેના નવા બિલ્ડીંગના પાયાનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવિદ પીરઝાદા તથા મિરુમિયા બાવા દરગાહના સજ્જાદાનશીન પીર સૈયદ શાઇરઅહેમદ બાવાના હસ્તે નવા બિલ્ડીંગનું ખાતમુહૂર્ત કરી પાયો નાખવામાં આવ્યો હતો.
આ તકે ઈરફાન પીરઝાદા, મોઈન પીરઝાદા, શકીલએહમદ પીરઝાદા, ટ્રસ્ટના પ્રમુખ મીમનજી હાજી, ઉપપ્રમુખ જલાલભાઈ પિંડાર, અન્ય તમામ ટ્રસ્ટીગણ તેમજ હોસ્પિટલ સ્ટાફ સહિતના ઉપસ્થિત રહ્યા હતા..

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી અને પીરો મુર્શીદ ખુરશીદહૈદર ઉર્ફે મીર સાહેબ (રહે.) નું એક ઉમદા સ્વપ્ન હતું કે, સમાજના લોકોને અદ્યતન હોસ્પિટલની અને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ થાય, તેમના આ વિચાર અને સેવાકાર્યને પરિપૂર્ણ કરવાના હેતુથી ગત રમઝાન માસ દરમિયાન સમગ્ર મોમીન સમાજના આર્થિક સહયોગથી આ ભગીરથ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે.

સમાજના ઉત્સાહ અને દાતાઓના સાથ-સહકારને જોતા ભવિષ્યમાં પણ સૌના સહયોગથી આ હોસ્પિટલના નિર્માણનું કાર્ય સફળતાપૂર્વક અને જલ્દી જ પૂર્ણ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t





