Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારબ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે એક જ પરિવારની એક માતા...

    બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે એક જ પરિવારની એક માતા અને બે પુત્રીનો સામુહિક આપઘાત….

    માતા અને બે પુત્રીએ વહેલી સવારે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

    વાંકાનેર શહેર નજીક આવેલા ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના માતા અને બે પુત્રીએ વહેલી સવારે સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે, જેમાં બનાવની જાણ થતાં મૃતકના પરિવારનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને હાલ બનાવની જાણ પોલીસ વિભાગને કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક જ પરિવારના મંજુલાબેન ભરતભાઈ ખાંડેકા (ઉ.વ. 45), સેજલબેન ભરતભાઈ ખાંડેકા (ઉ.વ. 19) અને અંજનાબેન ભરતભાઈ ખાંડેકા (ઉ.વ. 23) નામની માતા અને બે પુત્રીઓએ આજે વહેલી સવારે પોતાના ઘરે એકલાં હોય ત્યારે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો…

    બાબતે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગિયારેક માસ પૂર્વે આ જ પરિવારના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા અને પુત્રીઓએ તેની યાદમાં આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!