દેશભક્તિના કાર્યક્રમોમાં પણ જુથવાદ : સમગ્ર ગુજરાતના દરેક શહેરમાં એક તિરંગા યાત્રા અને વાંકાનેરમાં બે અલગ અલગ તિરંગા યાત્રા….!
પહેલગાવમાં આતંકવાદીઓએ કરેલ કાયરતા પૂર્વકના હુમલાના બનાવ સામે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ભરણપોષણ મેળવતા આંતકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું હોય, જેની ભવ્ય સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતના શહેરોમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આવા દેશભક્તિના કાર્યક્રમમાં પણ વાંકાનેર ભાજપનો જૂથવાદ ઉજાગર થયો છે, જેમાં આવતીકાલે વાંકાનેર ભાજપના બંને જુથો દ્વારા બે અલગ અલગ તિરંગા યાત્રાના આયોજનની નાગરિકો મુંજવણમાં મુકાયા છે…..
ગુજરાત પ્રદેશ ભાજપ માટે પણ માથાનાં દુઃખાવા રૂપ બનેલા વાંકાનેર ભાજપનાં આંતરી જુથવાદમાં વાંકાનેર પંથકનો વિકાસ ખોરંભે ચડી ગયો હોવાનો સ્પષ્ટ ભાષ નાગરિકો અનુભવી રહ્યા છે. જેમાં વાંકાનેર પંથકમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત, વિધાનસભા, લોકસભા અને રાજ્યસભા સુધી ભાજપના શાસનમાં પણ નાગરિકો પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે….
ચરમસીમાએ પહોંચેલા જુથવાદ વચ્ચે આવતીકાલના આયોજનની વિગતો જોઈએ તો વાંકાનેર શહેર અને તાલુકા ભાજપ સંગઠન દ્વારા સવારે ૯ વાગે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે સામાપક્ષે આવતીકાલે સાંજે ૪:૩૦ કલાકે અલગથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બંને યાત્રાના સરખા પોસ્ટરો અલગ વિગતો સાથેના સોસીયલ મિડિયામાં વાયરલ થયા છે. દેશભક્તિના કાર્યક્રમોમાં પણ જુથવાદે માથું ઊંચકતા વાંકાનેર પંથકના નાગરિકો પણ બે અલગ અલગ તિરંગા યાત્રાના આયોજનથી મુંઝાયા છે.
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1