વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામ નજીક આવેલ એક સીરામીક ફેક્ટરીમાં કરતા પરપ્રાંતીય શ્રમિક યુવાનને પ્રથમ છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા આ બનાવની વાંકાનેર સીટી પોલીસ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ લોનીક સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની જીતેન્દ્રકુમાર સુધરસિંગ (ઉ.વ. 39) નામના શ્રમિકને કામ કરતાં સમયે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD