Saturday, February 15, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ચારિત્ર્યની શંકાએ માથાફરેલ પતિનો પત્ની તથા દિકરી પર...

    વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ચારિત્ર્યની શંકાએ માથાફરેલ પતિનો પત્ની તથા દિકરી પર છરી વડે હુમલો….

    વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતી એક પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી તેના પતિએ છરી વડે હુમલો કરી કરતાં વચ્ચે છોડાવવા પડેલ દીકરીને પણ માથાફરેલ પિતાએ છરીથી ઇજા પહોંચાડતા બાબતે પિડિત મહિલાએ પતિ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ ખાતે રહેતા દયાબેન કમલેશભાઇ ગોગીયા (ઉ.વ. 40) નામની પરિણીતાએ તેના પતિ કમલેશભાઈ ગોવિંદભાઈ ગોગીયા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના આરોપી પતિએ ફરિયાદી પરિણીતાના ચારિત્ર્ય ઉપર શંકા કરી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડતા દયાબેનની પુત્રી વચ્ચે છોડાવવા પડતા ઉશ્કેરાયેલા આરોપી કમલેશે દિકરીને પણ છરીથી ઈજાઓ પહોંચાડી હતી, જેથી આ મામલે ફરિયાદી દયાબેને આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!