વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં પાણીના વહેણમાં આજે વહેલી સવારે એક યુવાન કોઇ કારણોસર તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતા વાંકાનેર સ્થાનિક તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ યુવાનની પાણીમાં તરવૈયોની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેમાં 6 કલાકની જહેમત બાદ પણ હજુ યુવાનની ભાળ મળી ન હોવાની માહિતી મળી રહી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ નજીકથી પસાર થતી નદીમાં આજે રવિવારે વહેલી સવારે ભાવેશભાઈ રાવતભાઇ ડાંગર (ઉ.વ. 40, રહે. જાલસીકા) નામનો યુવાન કોઈ કારણોસર પાણીના વહેણમાં તણાઈ ગયો હતો, જેથી બનાવની જાણ થતાં જ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી આર. એમ. કોંઢીયા સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા, અને તાત્કાલિક મોરબીથી ફાયર વિભાગની ટીમની મદદ બોલાવી હાલ યુવાનની પાણીમાં શોધખોળ શરૂ કરવામાં આવી છે, જેમાં છ કલાકની જહેમત બાદ પણ હજુ સુધી યુવાનનો કોઇ પતો મળ્યો ન હોવાની માહિતી મળી રહી છે…..