
વાંકાનેર તાલુકાના હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં રહેતા એક ૨૮ વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાયો છે….


પ્રાપ્ત વિગતો અનુસાર, હસનપર ગામના શક્તિપરા વિસ્તારમાં રહેતા હરેશભાઇ હમીરભાઈ રોજાસરા (ઉ.વ. ૨૮) નામના યુવાને ગત તા. ૧૪ના રોજ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસર થતા અને યુવાનની તબિયત લથડતા તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે જાણવા આગળની તપાસ હાથ ધરી છે….




