ઓર્થોપેડીક સર્જન ડો. હર્ષદ મહેશ્વરીની નવી અધ્યતન સુવિધા સભર હોસ્પિટલનો આજથી નવા સરનામે શુભારંભ….

વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતે આવેલા અનુભવી ઓર્થોપેડીક સર્જન ડો. હર્ષદ મહેશ્વરીની હરિઓમ ઓર્થોપેડીક હોસ્પિટલ આજરોજ બુધવારથી શહેરના સ્ટેચ્યુ ચોકમાં નવા સરનામા સાથે અધ્યતન સુવિધા સભર વિશાળ બિલ્ડિંગમાં શરૂ કરવામાં આવી છે. જેથી હવેથી વાંકાનેર વિસ્તારના દર્દીઓને નવા વિશાળ અને સુવિધાસભર બિલ્ડિંગ ખાતેથી હરિઓમ હોસ્પિટલની સચોટ સારવારનો લાભ મળી રહેશે….


