Wednesday, February 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના દિઘલીયા ગામે દીપડાનો ત્રાસ, ખેડૂતના વાડામાં ઘુસી ચાર ઘેટા-બકરાના મારણ કરી...

    વાંકાનેરના દિઘલીયા ગામે દીપડાનો ત્રાસ, ખેડૂતના વાડામાં ઘુસી ચાર ઘેટા-બકરાના મારણ કરી મિજબાની માણી….

    મધ્ય રાત્રિના વાડામાં ઘુસી ત્રણ ઘેટા અને એક બકરાનું મારણ કર્યું, એક ઘેટાં અને પાડી પર હુમલો…

    વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી દિપડાએ ભારે દેકારો મચાવ્યો છે, જેમાં વિડી વિસ્તારના ગામોમાં અવારનવાર દિપડાઓ ચડી આવી પાલતું પ્રાણીઓ પર હુમલા કરી મારણ કરતાં ખેડૂતોમાં સતત ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ફરિ ગતરાત્રીના વાંકાનેરના દિઘલીયા ગામ નજીક જ આવેલ એક ખેડૂતના વાડામાં દિપડાએ ધામા નાખી ત્રણ ઘેટાં અને એક બકરાનું મારણ કરી મિજબાની માણી હતી…

    બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિઘલીયા ગામ નજીક જ આવેલ ખેડુત ખોરજીયા નૂરમહંમદ અલાઉદીભાઈના વાડામાં ગતરાત્રીના એક દિપડો ચડી આવી ત્રણ ઘેટાં અને એક બકરાનું મરણ કરી મિજબાની માણી હતી. આ સાથે જ દિપડાએ અન્ય એક ઘેટા તથા પાડી પર હુમલો કરે તેને ઇજાગ્રસ્ત કર્યા હતા જો કે સદનસીબે આ બંનેનો બચાવ થયો હતો. હાલ આ વિસ્તારમાં દિપડાના આંટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે…..

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/FdlXCMmcXbcAwSSZOLSzDD

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!