Wednesday, July 16, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો...

    વાંકાનેરની ભાટીયા સોસાયટી ખાતે ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો…

    મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવ્યું છે. “અટલ સ્વાન્ત: સુખાય યોજના” અંતર્ગત ગર્ભ સંસ્કાર એટેલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખ આપવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે. તેમાનો એક સંસ્કાર એટેલ ગર્ભ સંસ્કાર. જે અંતર્ગત ભાટીયા સોસાયટી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

    વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે આજરોજ ગર્ભ સંસ્કાર માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા મહિલાઓને ગર્ભ સંસ્કાર બાબતે અમુલ્ય માર્ગદર્શન તથા ગાયત્રી મંત્ર અને ઓમકારનું ઉચ્ચારણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી તેમજ આઈ.સી.ડીસ.એસના તમામ સ્ટાફ ઉપસ્થિત રહી સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સૂચનો આપ્યા હતા. કાર્યક્રમમાં સર્ગભા બહેનોને દાતાઓ દ્વારા પૌષ્ટિક કીટનું પણ વિતરણ પણ કરવામાં આવ્યું હતું…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/F9aigUEWFqrEgQlX797HUm

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!