Thursday, July 17, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરના વસુંધરા ગામે નદીમાં ભેંસોને પાણી પિવડાવવા માટે ગયેલ બાળકીનું પગ લપસી...

    વાંકાનેરના વસુંધરા ગામે નદીમાં ભેંસોને પાણી પિવડાવવા માટે ગયેલ બાળકીનું પગ લપસી જતાં પાણીમાં ડુબી જવાથી મોત…

    વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે કરુણાંતિકા સર્જતી ઘટના સામે આવી છે, જેમાં ગામ નજીક આવેલ નદીમાં ભેંસોને પાણી પિવડાવવા માટે ગયેલ 11 વર્ષીય બાળકીનો પગ લપસી જતા પાણીમાં પડી જતા ડુબી જવાથી મોત થયાની ઘટના સામે આવી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે રહેતા માનસીબેન જગદીશભાઇ હાડગરડા (ઉ.વ. ૧૧) નામની બાળકી ગઈકાલે સવારે ગામના પાદરમાં આવેલ બૈનેયો નદીમાં પોતાની ભેંસોને લઈ પાણી પિવડાવવા માટે ગયેલ હોય, દરમિયાન અચાનક બાળકીનો પગ લપસી જતા ઊંડા પાણીમાં ગરક થઈ જતા પાણીમાં ડૂબી જવાથી માનસીનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KLY5NyCCrEWJrTSYHCGwTR

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!