વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામની સીમમાં આવેલ ખેડૂતની વાડીમાં ખેડૂતએ રાખેલ મગફળીના ડુરનો ઢગલો તથા જારની કડબ ઘાસચારાના ઢગલામાં ગામના જ એક ઈસમએ આગ લગાવી ખેડુતના ઘાસચારાના જથ્થાનો નાશ કરતા આ મામલે વાંકાનેર સિટી પોલીસ મથકમાં એક ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામના ખેડૂત એઝાજએહમદ ઇસ્માઈલભાઈ માથકીયાની ગામની સીમમાં આવેલ વાડીએ પશુના ઘાસચારા માટે સંગ્રહ કરેલ મગફળીના ડુર(પાલો)નો ઢગલો તથા જારની કડબના ઢગલામાં આજ ગામના આરોપી રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાભભાઈ સારલા દ્વારા આગ લગાવી ઘાસચારાના જથ્થાનો નાશ કરતા ખેડૂતને ૬૫ થી ૭૦ હજારની નુકસાની કરતાં આ મામલે વાંકાનેર સીટી પોલીસમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA