વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ ગામમાં આવેલ એક માલધારીના વાડામાં ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા 20 થી વધુ ઘેંટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. ગામમાં એક સાથે ત્રણ દીપડાઓ ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ કાનાભાઈ મેરાભાઈ ભરવાડ નામના માલધારીના વાડામાં આજરોજ વહેલી સવારે બે વાગ્યાની આસપાસ એક સાથે ત્રણ જેટલા દીપડાઓ ત્રાટક્યા હતા અને વાડામાં પુરેલા 20 થી વધુ જેટલા ઘેટાઓનું મરણ કરી મિજબાની માણી હતી. જેમાં માલધારી સવારે વાડાએ જતા ઘેટાંઓ ફાડી ખાધેલ હાલતમાં મળી આવતા બનાવની જાણ તાત્કાલિક વન વિભાગ અને વહીવટી તંત્રને કરતા અધિકારીઓ સ્થળ પર પહોંચી રોજકામ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે….
બાબતે આજુબાજુના વિસ્તારમાં ખેડૂતો અને ગ્રામજનોમાં એક સાથે ત્રણ દીપડાઓ આ વિસ્તારમાં ત્રાટકતાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જે અનુસંધાને ખેડૂતો તથા ગ્રામજનોને સાવચેતી રાખવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LW0zizvUzkD8ZB62pi9Fm0