
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સામાન્ય રીતે જ્ઞાતિવાદ અને મોટા રાજકીય વચનોનું જોર જોવા મળતું હોય છે, પરંતુ વાંકાનેરની ચંદ્રપુર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ સરપંચ ઇસ્માઇલભાઈ ફતેહભાઈ શેરસીયાની ઉમેદવારીએ રાજકીય સમીકરણોને બદલી નાખ્યા છે. આ વિસ્તારમાં સતત વધતા કોંગ્રેસના વર્ચસ્વ સાથે ઇસ્માઇલભાઈ ગોલ્ડનને પ્રજાનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે….
ચંદ્રપુર જીલ્લા પંચાયત બેઠક પર ઇસ્માઇલભાઈ ‘ગોલ્ડન’ની ખરી ઓળખ કોઈ મોટા નેતા તરીકેની નહીં, પરંતુ એક ‘ગામડાના માણસ’ તરીકેની છે. પૂર્વ સરપંચ હોવાના નાતે તેઓ ગ્રામ્ય જીવનની વાસ્તવિક સમસ્યાઓ – જેમ કે પીવાનું પાણી, રસ્તા, ખેડૂતોના પ્રશ્નો અને પંચાયતી કામકાજથી પૂરેપૂરા વાકેફ છે. એસી ઓફિસોમાં બેસીને રાજકારણ કરવાને બદલે પ્રજા વચ્ચે રહીને કામ કરવાની શૈલીથી સ્થાનિક મતદારો પ્રભાવિત થઈ રહ્યા છે…


ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદ્રપુર, ભાટીયા, લાલપર, ગારીયા, રસીદગઢ, પાંજ, કાનપર, લિંબાળા, રાજાવડલા, ભોજપરા, ખીજડીયા, સિંધાવદર, નવી કલાવડી અને પ્રતાપગઢ સહિતના ગામોમાં પ્રજાનો મિજાજ અને ગામેગામથી ઇસ્માઇલભાઈને મળી રહેલું સ્વયંભૂ સમર્થન સ્પષ્ટ ઈશારો કરે છે કે ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસની ‘ગોલ્ડન લહેર’ ફૂંકાઈ રહી છે અને આગામી પરિણામોમાં આ બેઠક પર કોંગ્રેસના વિકાસના રાજકારણનો નવો સૂર્યોદય થવાની પૂરી સંભાવના છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t






