ગુજરાતની અગ્રગણ્ય સ્થાન ધરાવતી અને 25 વર્ષથી કાર્યરત તેમજ ઓડીટ વર્ગ ” એ ” ધરાવતી વાંકાનેરની નામાંકિત શ્રી ગેલેકસી ક્રેડીટ કો. ઓ.સો. લી.ની આર્થિક સ્થિતિ તથા સોસાયટીમાં રોકાયેલ નાણાની સલામતી બાબતે હિતશત્રુઓ દ્વારા ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી હોય, જે અંગે આજરોજ ગેલેક્સી ક્રેડિટ કો. ઓ.સો.લી. દ્વારા એક પ્રેસ યાદી પ્રસિદ્ધ કરી સભાસદોને જણાવવામાં આવ્યું છે કે, ગેલેક્સી સોસાયટી દ્વારા લોનના નાણાંની વસુલાત માટે ડિફોલ્ડરો સામે કોર્ટ કાર્યવાહી કરેલ હોય તેવા ખાતા ધારકો તથા જેમની કોઇ કારણોસર લોન નામંજુર થયેલ હોય તેવા લોકો કે વિઘ્નસંતોષીઓ દ્વારા સોસાયટીની સદ્ધરતા વિષે છેલ્લા થોડા દિવસોથી ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહેલ છે…
ત્યારે હકીકતમાં આ એક પ્રકારના સમજણ પુર્વકના બદઈરાદા સાથેનો ખોટો પ્રચાર છે. સોસાયટીમાં મુકેલ સભાસદોની તમામ પ્રકારની થાપણ સલામત છે. સભાસદોના રોકાણ માટે ચિંતાનું કોઈ કારણ નથી. જેથી બેંક વિશે કુપ્રચાર કરનારા ઇસમોની ખોટી અફવાઓથી દુર રહી સભાસદો સોસાયટીના નિયત સમય દરમ્યાન પોતાના ખાતામાંથી નાણાંકિય વ્યવહાર કરી શકે છે, તેમ સોસાયટીના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે…
ગેલેક્સી ક્રેડિટ કો. ઓપરેટિવ સોસાયટી મેનેજમેન્ટ તેના દરેક ગ્રાહકો અને રોકાણ કર્તાઓની સાથે છે અને નાણાની સલામતીની ખાતરી આપે છે માટે કોઇપણ પ્રકારની ખોટી અફવાઓથી સભાસદોને ગભરાવવાની જરૂર નથી…
લી.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ