વાંકાનેરના રાજાવડલા રોડ પર આવેલ અંધ અપંગ ગૌશાળામાં કામ કરતો ૧૯ વર્ષીય યુવાન કામ કરતા કરતા અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના રાજાવડલા રોડ પર આવેલ અંધ અપંગ ગૌશાળામાં કામ કરતા મુળ મધ્યપ્રદેશના વતની સુરપાલ કેન્દ્રુ શીંગાળ (ઉ.વ. ૧૯). નામનો યુવાન ગૌશાળામાં કામ કરતો હોય, ત્યારે અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ફરજ પરના તબીબે તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HdFBTpaLjzxIUaxh4CptYA