વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
બનાવની પ્રાર્થ વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ રે-સેરા ક્રિએશન સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા ચરણ ટુકલુ બોંટા બારી (ઉ.વ. ૨૨, રહે. મુળ ફુલહીડા, ઝારખંડ) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ઓરડીમાં છતના પંખામાં મજબૂત કપડું બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4VwasfRH78d4j5Ci0O5L