વાંકાનેર શહેર નજીક આવેલા તાલુકાના રસિકગઢ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાંથી એક 30 થી 40 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી બનાવમાં વધુ તપાસ શરૂ કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામની ભાટિયા સિમમાં આવેલ વલીમામદભાઈ ઇબ્રાહિમભાઈ માથકીયા નામના ખેડૂતની વાડીના કૂવામાં એક અજાણ્યા 30 થી 40 વર્ષની ઉંમરના પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો, જેથી આ બનાવની જાણ થતાં જ વાંકાનેર સિટી પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકની ઓળખ તથા મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે….