દેશભરમાં ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વાંકાનેર શહેરના વૉર્ડ નંબર ૨ માં આવેલી મિલ સોસાયટી ખાતે આજરોજ વિશેષય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક યુવા ભાજપ અગ્રણી જયેન્દ્રસિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા દરેક નાગરિક પોતાના ઘરે ગર્વથી તિરંગો લહેરાવી શકે તે ઉદ્દેશ્યથી ૧૦૦૦ થી વધારે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતું….
આ તકે તાજેતરમાં જ ઇન્ડિયન એરફોર્સની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પરત ફરેલા સ્થાનિક યુવાન પ્રિન્સરાજસિંહ ઝાલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત આગેવાનો અને નાગરિકો દ્વારા પ્રિન્સરાજસિંહને શાલ ઓઢાડી તથા રાષ્ટ્રધ્વજ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KvTPb6PffKl5lyOJlj4YzJ?mode=gi_t






