Wednesday, March 12, 2025
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર તાલુકાના માટેલ રોડ પર ખુલ્લા પટમાં યુવાનનું અગમ્ય કારણોસર મોત....

    વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર ખુલ્લા પટમાં યુવાનનું અગમ્ય કારણોસર મોત….

    વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરી સામે ખુલ્લા પટમાં એક પરપ્રાંતિય ૩૪ વર્ષિય યુવાનનું કોઇ અગમ્ય કારણોસર મોત થતાં, બાબતે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતકની લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ બ્રાવેટ સિરામિક ફેકટરી સામે ખુલ્લા પટમાં સોનુકુમારસિંહ બ્રિજમોહનસિંહ રાજપુત (ઉ.વ. ૩૪, રહે. હાલ સ્ટાઈલીન સિરામીક, માટેલ રોડ, વાંકાનેર, મુળ. રહે. બિહાર) નું કોઇ અગમ્ય કારણોસર મોત થતાં બાબતે વાંકાનેર તાલુકા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી, મૃતકના વિશેરાને ફોરેન્સિકમાં મોકલી મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!