વાંકાનેર શહેરના જડેશ્વર ચેમ્બરમાં આવેલ વેલ્ડિંગની દુકાનમાં ચાલું કામ દરમ્યાન જ હાર્ટ એટેક આવી જતાં યુવાન ઢળી પડ્યો હતો, જેમાં યુવાનને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના ડોક્ટર તપાસી તેને મૃત જાહેર કર્યો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના મીલપ્લોટ ખાતે રહેતા શંકરભાઇ લક્ષ્મણભાઇ કુંમખાણીયા (ઉ.વ. ૪૦) નામનો યુવાન શહેર નજીક જડેશ્વર ચેમ્બરમાં આવેલ તેની વેલ્ડીંગની દુકાનમાં કામ કરતો હોય દરમ્યાન ગઇકાલે બપોરે વેલ્ડીંગનું કામ કરતા કરતાં તેને હાર્ટ એટેક આવી જતા યુવાન દુકાનમાં જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KIgps7vMp91KXn5yxpBh65